અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં જમીનના સોદાના નામે થતી છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં શહેરના સોલા વિસ્તારની એક કિંમતી જમીન વેચવાના બહાને 41 કરોડની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ સક્રિય થઈને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
કઈ રીતે આચરવામાં આવી ઠગાઈ?
મળતી વિગતો અનુસાર, આરોપીઓએ આંગડિયાના વેપારીને સોલા વિસ્તારની મોકાની જમીન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. આ સોદા પેટે વેપારી પાસેથી 41 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. છેતરપિંડીને અંજામ આપવા માટે આરોપીઓએ જમીન માલિકના નામની ખોટી પહોંચ પણ આપી હતી













