હવે શહેરમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે એટલે ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે. ગરમીને ધ્યાનમાં રાખીને શહેરીજનોને ઠંડક મળે તે માટે અમદાવાદ કોર્પોરેશને મહત્વનો નિર્ણય કર્યો છે


લોકોને ઠંડકઆપવા માટે AMC દ્વારા મહત્વનો નિર્ણય

ઉનાળામાં દિવસોમાં શહેરમાં લોકોને ઠંડકઆપવા માટે AMC દ્વારા શહેરમાં આવેલ 54 જેટલા ફુવારા ફરી શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે.

 મુસાફરો માટે પણ ઠંડા પાણીની વ્યવસ્થા

આ સાથે એએમટીએસ અને BRTS ના મુસાફરો માટે પણ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.શહેરમાં આવેલ BRTS ના બસ સ્ટેશન પર ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. અને આ જ પ્રકારે મુસાફરો માટે પણ વ્યવસ્થા કરશે.

15 માર્ચથી ફુવારા ચાલુ થશે

આ ઉપરાંત કોર્પોરેશન હસ્તકના ફુવારા ગાર્ડન જે ચાર રસ્તા પર આવેલ છે તેને ચાલુ કરવામાં આવશે15 માર્ચ થી આ સેવા શહેરમાં શરૂ કરવામાં આવશે

54 ફુવારા ચાલુ કરાશે

શહેરમાં 60 ફુવારા આવેલા છે જે પૈકી 54 ફુવારા ચાલુ કરાશે જ્યારે 6 ફુવારા બંધ રહેશે તેમ કોર્પોરેશન સુત્રોએ જણાવ્યું છે.


આ પણ વાંચો----    Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

  • Follow us on: