અમદાવાદ શહેરના દુધેશ્વર વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મહાકાળી મંદિર પાસે દર્શન કરીને પરત ફરી રહેલા બજરંગદળના કાર્યકર્તાઓ પર અજાણ્યા શખ્સોના ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગત
અમરાઈવાડી વિસ્તારના આશિષ નાગોરા અને તેમનો મિત્ર દુધેશ્વર મહાકાળી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા. જોગણી માતાના મંદિર પાસે ટ્રાફિકના કારણે વાહન ઉભું રાખતા, એક અજાણ્યા શખ્સે આવીને "તુ કૌન હે" કહી ગાળાગાળી શરૂ કરી હતી. જોતજોતામાં મોટું ટોળું એકઠું થઈ ગયું હતું અને બંને મિત્રોને માર મારવાનું શરૂ કર્યું હતું.













