અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં બે દિવસમાં એકબીજાના પરિચિત યુવક અને યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. આપઘાત કરેલા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાએ જોર પકડતા હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે.


આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં પોલીસ યોગ્ય તપાસ કરે

વાસણા વિસ્તારમાં 23 વર્ષીય હર્ષિલ ચૌહાણ અને પ્રિયા ઠાકોરે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. 2 દિવસના અંતરમાં આ બંનેએ આત્મહત્યા કરી છે. જો કે ચર્ચા એવી પણ છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને પરિવાર તેમના પ્રેમ સંબંધને સ્વીકારવા તૈયાર નહોતો. જેના કારણે બંનેએ આત્મહત્યા કરી છે. હર્ષિલ ચૌહાણ પરિવારજનો સાથે વાસણા વિસ્તારમાં રહેતો હતો અને ફાસ્ટ ફૂડનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે હર્ષિલ ઘરમાં ગુમસૂમ બેઠો હતો. હર્ષિલના પિતાએ શું થયું પૂછતા તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.ત્યારબાદ હર્ષિલ ગુમ થયો હતો અને તેનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો. પિતાનું માનવું છે કે હર્ષિલ નવી ધંધો શરૂ કર્યો હતો જેના કારણે તે થોડો ટેન્શનમાં રહેતો હતો. હર્ષિલના મૃતદેહ મળ્યો ત્યારે તેના માથાના ભાગે ઇજાના નિશાન હતા જેને લઈને આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં પોલીસ યોગ્ય તપાસ કરે તે જરૂરી છે.

યુવક બાદ યુવતીએ પણ આપઘાત કરી લીધો

હર્ષિલની આત્મહત્યાના બનાવ બાદ વાસણામા રહેતી પ્રિયા ઠાકોરે પણ તેના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.જો કે યુવતીના પરિવારજનોએ તેના આપઘાતનું કારણ શું છે તે બાબતે કેમેરા સમક્ષ આવવાનું ટાળ્યું હતું.જો કે વર્તુળમાં એવી ચર્ચા છે કે પ્રિયા અને હર્ષિલ મનોમન લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ પરિવારજનો ન માનતા બંનેએ જીવન ટૂંકાવ્યું છે. જો કે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બંને મૃતકોના મોબાઈલ ફોનની ચકાસણી શરૂ કરી છે સાથે જ પરિવારજનોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને પક્ષે પારિવારિક સંબંધ હતા.જેના કારણે અવારનવાર યુવક અને યુવતીની મુલાકાત થતી રહેતી હતી.

આ પણ વાંચોઃ Surat: મહિધરપુરામાંથી 15 લાખની પ્રતિબંધિત E-સિગારેટ ઝડપાઈ, LCB એ મોબાઈલના વેપારીને દબોચ્યો


  • Follow us on: