અમદાવાદમાં આગામી 28 ડિસેમ્બરે લેઉઆ પાટીદાર સમાજનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન યોજાશે. અમદાવાદના નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં પાટીદાર સમાજનું મહા સંમેલન યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. આ સંમેલનમાં લેઉઆ પાટીદાર સમાજના ચાર નવનિયુક્ત મંત્રીઓનું સન્માન કરાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરવામાં આવશે.


નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં સંમેલન યોજાશે

અમદાવાદના નિકોલમાં ખોડલધામ અને કાગવડ બાદ લેઉઆ પાટીદાર સમાજનું મહા સંમેલન યોજવામાં આવશે. 28 ડિસેમ્બરે આ સંમેલનનું આયોજન નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યુ છે. આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહશે. જ્યારે રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓનું સન્માન કરવામાં આવશે.

28 ડિસેમ્બરે લેઉઆ પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન

રાજ્ય સરકારમાં આ વખતે નવા મંત્રી મંડળમાં સ્થાન પામેલા જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, પ્રફુલ પાનસેરિયા અને કમલેશ પટેલનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરવામાં આવશે. અમદાવાદના સમસ્ત લેઉઆ પાટીદાર સમાજ દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 28 ડિસેમ્બરે લેઉઆ પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન યોજાશે.


આ પણ વાંચોઃ Rajkot News: ઉપલેટામાં વોંકળામાંથી મળ્યો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?


  • Follow us on: