ખુંખાર અને વારંવાર માણસો પર હુમલો કરતા શ્વાસોની ખરાઈ કરીને તેને કરુણા મંદિર લાવવામાં આવે છે, આવા શ્વાનની ફરિયાદ આવશે ત્યાં ટીમ જઈને ખરેખર શ્વાન લોકોને કરડે છે તેની ખરાઈ કરે છે, કેટલા કૂતરાઓએ વેક્સિન લીધી તેના ડેટાના આધારે આવા શ્વાનને ડોગ ફ્રેન્ડલી સેન્ટર પર લાવવામાં આવે છે. આવા શ્વાનને ત્યાં રાખી તેને સારવાર અથવા જરૂરી ટ્રિટમેટ કરવામાં આવે છે, શહેરમાં 65 ડોગ હાલ સળિયા પાછળ છે ખુલ્લા વિસ્તારોમાં આવી ઘટના જોવા મળે છે, ખાસ સરખેજ, દાણીલીમડા, દરિયાપુર જેવા વિસ્તારોમાં આવા શ્વાનની ફરિયાદોના આધારે લાવવામાં આવ્યા છે, હજી પણ અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કૂતરા કરડવાની ઘટના બનતી રહે છે.
જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ?
ઘા નાનો હોય તો અવગણશો નહિ
ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો.
હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે.
કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ.
અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી.
કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય.
કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો.
બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ.
કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર)
જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?
સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.
ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.
તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.
પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?
તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.
તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.
તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..
જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.
જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.
આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરના તરણેતરમાં પ્રાંત અધિકારીના દરોડા, રેતી ખનન કરતા 3 ઝડપાયા