અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં આવેલી એક નોનવેજ દુકાનમાં ગૌમાંસ વેચાતું હોવાના આક્ષેપોને પગલે તણાવનો માહોલ સર્જાયો હતો. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.


પોલીસે દુકાનમાં રેડ કરી માંસના સેમ્પલ એકત્રિત કર્યા

આક્ષેપોને ધ્યાનમાં રાખીને પોલીસે દુકાનમાં રેડ કરી માંસના સેમ્પલ એકત્રિત કર્યા છે. સેમ્પલોને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા છે.

ગૌમાંસ હશે તો કાર્યવાહી કરવામા આવશે

પોલીસના જણાવ્યા અનુસાર, રિપોર્ટ આવ્યા બાદ જો ગૌમાંસ હોવાનું સામે આવશે તો સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.


આ પણ વાંચો----     AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો

  • Follow us on: