અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને ધ્યાનમાં રાખીને શાહીબાગ અન્ડરબ્રિજ આજથી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.


4 ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ

ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ અંડરપાસ 4 ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

દિવસ દરમિયાન વાહનચાલકોને અંડરબ્રિજમાંથી પસાર થવાની મંજૂરી

દિવસ દરમિયાન વાહનચાલકોને અંડરબ્રિજમાંથી પસાર થવાની મંજૂરી રહેશે, જેથી દૈનિક ટ્રાફિક પર ઓછામાં ઓછી અસર પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રિના સમયે બુલેટ ટ્રેનની કામગીરીને પગલે સલામતીના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ પણ બે વાર આ અંડરબ્રિજ બંધ કરાયો હતો

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બે વાર શાહીબાગ અન્ડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

માર્ગ સૂચનોનું પાલન કરે

ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે રાત્રિના સમયગાળામાં મુસાફરી દરમિયાન માર્ગ સૂચનોનું પાલન કરે અને અસુવિધા ટાળવા માટે વિકલ્પી રસ્તાઓનો ઉપયોગ કરે.


આ પણ વાંચો----    Junagadh News : જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળ્યા, લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા

  • Follow us on: