અમદાવાદના શાહિબાગ વિસ્તારના રહિશો માટે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ 23 જાન્યુઆરીની રાત 8 વાગ્યાથી 28 જાન્યુઆરીની રાત્રે 12 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
અંડરપાસના બંધ રહેવાના કારણે વાહન ચાલકોને પડશે તકલીફ
અંડરપાસના બંધ રહેવાના કારણે સ્થાનિક વાહન ચાલકો અને આસપાસના વિસ્તારના લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તાત્કાલિક માર્ગદર્શન અને પરિવહન વ્યવસ્થા માટે તંત્ર દ્વારા વિકલ્પ માર્ગોની જાણકારી આપી છે.













