ગુજરાતના જાણીતા હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે રાજયમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, "વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે."
23 તારીખથી વાતાવરણમાં થશે સુધારો
પટેલના જણાવ્યા અનુસાર, 23 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમે-ધીમે ઘટી જતી રહેશે. આજે બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે વાદળછાયા વાતાવરણ અને વરસાદી છાંટા જોવા મળશે, પરંતુ 23મી તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટી જશે.













