બનાસકાંઠાના દાંતા ખાતે લોક જનતાના પ્રશ્નો સાંભળવા માટે પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો. આ દરમિયાન એસપી પ્રશાંત સુમ્બે ઉપસ્થિત રહ્યા અને સ્થાનિક ગામોના આગેવાનો તેમજ નાગરિકોએ લોક દરબારમાં જોડાઈ પ્રશ્નો રજૂ કર્યા.
ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ અને કાયદાકીય મુદ્દાઓ પર ચર્ચા
લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ અને કાયદાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. દાંતાના આગેવાનો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે યોગ્ય સમાધાનની માંગ કરી.
