અમરેલીના રાજુલાની હિન્દૂ યુવતીને એક મુસ્લિમ યુવક હૈદરાબાદ ભગાડી ગયો હોવાના મામલે હવે નવો વળાંક આવ્યો છે. યુવતીના પિતાએ એક ભાવુક પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની દીકરીને પરત લાવવા સરકાર અને પોલીસને આજીજી કરી છે. પિતાએ આક્ષેપ કર્યો છે કે આ 'લવ જેહાદ' સિવાય બીજું કંઈ જ નથી.
મેં મારી દીકરીને 25 વર્ષ સુધી ઉછેરીને મોટી કરી
પ્રેસ કોન્ફરન્સમાં પિતાની આંખો છલકાઈ ગઈ હતી, તેમણે રોષ સાથે જણાવ્યું હતું કે, "મેં મારી દીકરીને 25 વર્ષ સુધી ઉછેરીને મોટી કરી અને માત્ર 25 દિવસમાં તે મારા જ વિરુદ્ધ થઈ ગઈ! જો આ જેહાદ નથી તો બીજું શું છે?" તેમણે વધુમાં સવાલ ઉઠાવતા કહ્યું કે, "ગુજરાતમાં મહાન નેતાઓ બેઠા છે, જો દુનિયાના ખૂણેખૂણેથી ભારતીયોને પરત લાવી શકાતા હોય, તો મારી દીકરીને ભારતમાંથી જ કેમ પરત લાવી શકાતી નથી?"













