અમરેલી જિલ્લામાં ફરી ચાર પગનો આતંક સામે આવ્યો છે અને ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામે ખેડૂતના ભાગીદાર પર મોડી રાત્રે સિંહે હુમલો કરતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, ખેતરમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો અમરેલી વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે.
અમરેલીમાં સિંહે માણસ પર કર્યો હુમલો
નવા માલકનેસ ગામે ખેડૂતના ભાગીદાર વાડીએ મકાનની છત પર રખોપું કરી રહેતા હતા અને તે દરમિયાન અચાનક સિંહે આવીને હુમલો કર્યો હતો, નવા માલિકનેસ ગામના મનુંભાઈ સુખાભાઈ જાદવ (ઉ.વ.૪૫) પર સિંહ કર્યો હતો હુમલો અને માથાના ભાગે સામાન્ય ઇજાઓ થતા 108ની મદદથી સારવાર અર્થ ખાંભા બાદ અમરેલી ખસેડાયા છે, આ ઘટનાને પગલે ખાંભા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.













