અમીરગઢ તાલુકામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગર ને ઓછું વેતન આપી વધુ કામ કરાવતા હોવાના આક્ષેપ સાથે કાર્યકરો અને તેડાગર દ્વારા ધરણાં યોજી વિરોધ સાથે આવેદન પત્ર આપ્યું હતું


મોબાઈલ નેટવર્ક ની સમસ્યાઓ

 અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર હોવાથી અહીં મોબાઈલ નેટવર્ક ની સમસ્યાઓ રહેતી હોય છે તેમાં પણ સરકાર દ્વારા મોબાઇલ આપ્યા વગર ખુદ ના મોબાઈલ માં એપ પર કામ કરવા નું ભારણ તે ઉપરાંત કામ સમયસર ના થતા છુટ્ટા કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો આરોપ લગાવાયો છે

આવેદન પત્ર આપ્યું

જેના પગલે આજે તેડાગર તેમજ આંગણવાડી કાર્યકરો એ અમીરગઢ મામલતદાર કચેરી એ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મામલતદાર ને સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવા આવેદન પત્ર આપ્યું હતું.


આ પણ વાંચો----     Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી


  • Follow us on: