ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે. તેમણે વડગામમાં સરકારી લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું છે. હર્ષ સંઘવી વડગામ, પાલનપુર અને ડીસાની મુલાકાત લેશે અને ત્યાં વિકાસ કામોના લોકાર્પણ કરશે.
આ પુસ્તકાલય કોઇની રજૂઆતથી નથી બનાવ્યું
વડગામમાં સરકારી લાયબ્રેરીનું લોકાર્પણ કરતાં તેમણે કહ્યું હતું કે, આ પુસ્તકાલય કોઈની રજૂઆતથી નથી બનાવ્યું. સરકાર તમારી સાથે છે એક ફોન કરજો આવી જઈશ. ઉત્સાહ સાથે અહીંના દૂષણોને દૂર કરીશું. હું તમારો ગુસ્સો સમજી શકુ છું. કોઈએ આક્રોશમાં આવવાની જરૂર નથી. વડાપ્રધાન મોદીએ ગુજરાતને નંબર વન બનાવવા માટે જાતને ઘસી છે. આ પુસ્તકાલય અનેક લોકોનું ભવિષ્ય ઉજળુ કરશે. આ પુસ્તકાલય ડીવાયએસપી, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ બનાવશે.













