બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સરકારના લાખો રૂપિયાના ખર્ચે બનેલો વિકાસ પથ ફૂટપાથ આજે રેંકડી ધારકો અને પાથરણા વાળાઓનો અડ્ડો બન્યો છે. ફૂટપાથ ઉપર રેંકડી ધારકોએ અડ્ડો જમાવતા રાહદારીઓ ફૂટપાથની જગ્યાએ જાહેર રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે.
"વિકાસ પથ" નામનો ફૂટપાથ બનાવવામાં આવ્યો
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વર્ષો પહેલા સરકાર દ્વારા શહેરના ગુરુનાનક ચોક થી એરોમાં સર્કલ સુધીના જાહેર માર્ગ પર રાહદારીઓ આસાનીથી ચાલી શકે અને કોઈ જાનહાની ન સર્જાય તેને લઈ "વિકાસ પથ" નામનો ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો. રસ્તાની બંને બાજુએ બનેલા આ ફૂટપાથ પર રાહદારીઓ ચાલી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક નગરપાલિકા અને સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે આ ફૂટપાથ આજે રેંકડી ધારકો અને પાથરણા વાળાઓનો અડ્ડો બન્યો છે.













