ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં હત્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. સિહોર તાલુકાના ભુતિયા ગામ નજીક એક શખ્સનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ હતી.
ચીમનભાઈ હરિભાઈ નાયકનો મૃતદેહ
પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઓળખ ચીમનભાઈ હરિભાઈ નાયક તરીકે થઈ છે. સ્થાનિક લોકો દ્વારા લાશ જોવા મળતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી.













