એક તરફ ખેડૂતોને સિંચાઇનું પાણી કેનાલ મારફતે આપવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ નર્મદા નિગમનું નઘરોળ તંત્ર હજુ સુધી કેનાલ સફાઇ નથી કરી શક્યું. કેનાલ સાફ કર્યા વિના જ પાણી છોડી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલમાં કચરાને લીધે પાણી રોકાઇ રહેવા અને કેનાલમાં ગાબડું પડવાનો ભય રહે છે. ચોમાસુ પૂર્ણ થયાને બે મહિનાનો સમય વિત્યો હોવા છતાં નર્મદા નિગમના નઘરોળ તંત્રને હજુ સુધી કેનાલ સફાઇ કરવાનું યાદ પણ નથી આવ્યું.


નર્મદા કેનાલમાં પાણી છોડાયું પણ કેનાલને સાફ કર્યા વિના જ પાણી છોડી દીધું છે

સંખેડા તાલુકાના ફતેપુર ગામ પાસેથી નર્મદાની સંખેડા માઈનોર કેનાલ પસાર થાય છે.આ કેનાલ સંખેડા કસ્બા સીમ સુધી લાંબી છે.સંખેડા કસ્બા સીમાનો વિસ્તાર રેડ લાઈન વિસ્તાર છે.જેથી કેનાલના પાણી ઉપર જ ખેડૂતોને આધાર રાખવાનો થાય છે. હાલમાં ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત છે. નર્મદા કેનાલમાં પાણી છોડાયું પણ કેનાલને સાફ કર્યા વિના જ પાણી છોડી દીધું છે.

કેનાલ સાફ ન કરાઈ હોવાના કારણે કેનાલમાં ચારેય બાજુએ ઝાડી-ઝાંખરા જ જોવા મળે છે

કેનાલ સાફ ન કરાઈ હોવાના કારણે કેનાલમાં ચારેય બાજુએ ઝાડી-ઝાંખરા જ જોવા મળે છે.ફયેપુર પાસે ખેડૂતો એકત્ર થયા હતા.આ એકત્ર થયેલા ખેડૂતોએ કેનાલમાં કેટલા ઝાડી ઝાંખરા છે.તે બતાડ્યું હતું. કેનાલ સાફ કર્યા વિના જ પાણી છોડી દેવાવાના કારણે કેનાલમાં પાણી ઘેરાય અને કેનાલ તૂટવાનો ભય રહે. વળી પાણી ઘેરાયા કરવાના કારણે ઝડપથી આગળ સુધી પહોચે પણ નહિ અને પૂરતું પાણી પણ ના પહોચે.જેથી અત્રે એકત્ર થયેલા ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓને જગાડવા સૂત્રોચ્ચાર કર્યા હતા.દિવાળી બાદ બે મહિના જેટલો સમય પણ નર્મદા નિગમને મળ્યો હતો.છતા પણ કેનાલ કેમ સાફ ન કરાવાઈ એવા સવાલો ચર્ચાનો વિષય બન્યા હતા.

 

આ પણ વાંચો---   Gujarat Flashback 2025 : સાહિત્ય અને રાજકીય ક્ષેત્રે આ વર્ષે ગુજરાતે આ મહાનુભાવો ગુમાવ્યા

  • Follow us on: