જામ ખંભાળીયામાં નગરપાલિકા વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાવળ પાડા રહેણાંક વિસ્તારમાં સતત ઉભરાતી ગટરોના પગલે ગંદકીથી ખદબદી ઊઠ્યો છે.
ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહનચાલકો મજબૂર
જામ ખંભાળીયાના મુખ્ય માર્ગ પર ભરાયેલા રહેતા ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહનચાલકો મજબૂર છે. સતત ભરાયેલા રહેતા ગટરના ગંદા પાણીને કારણે રોગચાળો વકરવાનો સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે.













