ગાંધીનગરના અંબાપુર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં અંબાપુર ખાતે આવેલી એક ખાનગી ફ્લેટની કન્સ્ટ્રક્શન સાઈટ પર રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, લગ્નજીવનના લાંબા સમય બાદ પણ સંતાન સુખ પ્રાપ્ત ન થતાં પરિણીતા ભારે માનસિક તણાવમાં રહેતી હતી, જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
સંતાન ન થવાના દુઃખે લીધો ભોગ
ઘટનાની મળતી વિગતો અનુસાર, મૃતક પરિણીતા પોતાના પરિવાર સાથે અંબાપુરમાં નિર્માણ પામી રહેલા એક ખાનગી ફ્લેટની કન્સ્ટ્રક્શન સાઈટ પર જ મકાનમાં રહેતી હતી. સંતાન ન થવાના દુઃખ અને માનસિક આઘાતમાં સરી પડેલી પરિણીતાએ રૂમમાં ઉપર લોખંડના હુક સાથે પોતાની સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોની નજર પડતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.













