શ્રીલંકાના પાંચ સભ્યોનું ડેલીગેશન આજે ગાંધીનગર સચિવાલય પહોંચ્યું હતું. ડેલીગેશનમાં શ્રીલંકાના મેમ્બર ઓફ પાર્લામેન્ટના સભ્યો તેમજ શ્રીલંકા સરકારના સેક્રેટરીનો સમાવેશ થતો હતો.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી
શ્રીલંકન સાંસદોએ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી.













