મંત્રી મંડળમાં ફેરફાર બાદ પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપુતે વિધાનસભા સચિવાલયને જાણ કરી છે કે તેઓ ધારાસભ્ય તરીકેનો પગાર અને ભથ્થા નથી લેવા માંગતા.


સ્વેચ્છાથી પગાર-ભથ્થા મેળવવા ઈચ્છતા નથી

પાછલા કાર્યકાળ દરમિયાન મંત્રી તરીકે પણ તેઓએ પગાર-ભથ્થા સ્વીકાર્યા નહોતાં અને લોકલક્ષ્યમાં જાહેર સેવાના મોખરે રહ્યા હતા. હવે મંત્રી પદમાંથી નિવૃત્તિ પછી પણ, તે જ નીતિ પર ટકી રહ્યા છે અને સ્વેચ્છાથી પગાર-ભથ્થા મેળવવા ઈચ્છતા નથી.

વિધાનસભા સચિવાલયને જાણકારી આપી

વિધાનસભા સચિવાલયને આપેલી આ જાણકારી બાદ બળવંતસિંહ રાજપુત જાહેર જનતાના નાણાંનો બચાવ અને સેવાભાવી ઈમેજ જાળવી રહ્યા છે. તેમણે પત્રમાં લખેલું છે કે તેઓ સિદ્ધપુર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. હું અગાઉ ધારાસભ્ય તરીકે તથા કેબિનેટ મંત્રી તરીકે હતો ત્યારે પણ કોઇ પગાર ભથ્થુ કે અન્ય કોઇ સવલત લીધેલી ના હોઇ આજે પણ મને મળવાપાત્ર કોઇ ભત્થા લેવા સ્વીકારતો નથી


આ પણ વાંચો---   Gujarat Latest News Live : કલોલના પૂર્વ વિસ્તારમાં ઔડા દ્વારા મેગા ડિમોલિશન,કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું

  • Follow us on: