ગાંધીનગરની સુઘડ કેનાલ પાસેથી મોડી રાત્રે યુવતીઓના મૃતદેહ બહાર કાઢયા છે અને યુવતીઓ ગાંધીનગર કોર્પોરેશનમાં ફરજ બજાવતી હતી, 2 યુવતીના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા છે અને બન્ને યુવતીઓના આપઘાતનું કારણ અકબંધ છે, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ગાંધીનગરની નર્મદા કેનાલમાં બે યુવતીનો આપઘાત
ગાંધીનગર કોર્પોરેશનમાં ફરજ બજાવતી 2 યુવતીઓએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે અને કેનાલમાં કૂદીને સામૂહિક આપઘાત કર્યો છે, તો ફાયરની ટીમે કલાકોના સર્ચ બાદ મૃતદેહને બહાર કાઢયા હતા, મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ(ઉં. વ. 26, રહે. નરોડા, અમદાવાદ) અને રિપલ રાકેશભાઈ રાવત (ઉં. વ. 24, રહે. થલતેજ, અમદાવાદ) તરીકે થઈ છે. આપઘાત કરતા પહેલા બન્ને યુવતીઓએ પરિજનોને ફોન કરીને જાણ કરી હતી કે તેઓ આપઘાત કરવા માટે જઈ રહી છે.













