ગીર સોમનાથના કોડીનારમાં વીજ વાયર પડતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, ગ્રામજનોએ pgvcl પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આક્ષેપ કર્યો છે કે, pgvclની ગંભીર બેદરકારીના કારણે આ મોત થયા છે, આ સમગ્ર ઘટનામાં ગામમાં શોકનો માહોલ છે,
કોડીનારમાં વીજ વાયર પડતા 2 યુવકના મોત
કોડીનારના ઘાટવડ ગામે PGVCLની ગંભરી બેદરકારી સામે આવી છે, વાડી વિસ્તારમાંથી બે યુવકો બાઈક લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન જીવતો વીજ વાયર યુવકો પર પડે છે અને બન્ને યુવકો બાઈક પરથી નીચે પડે છે અને મોત થયા છે, તો ઘટનાની જાણ થતા પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યાં હતા અને તે વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઈન તાત્કાલિક બંધ કરી હતી અને પોલીસને જાણ કરી હતી, મૃતક યુવાનો ગામના હોવાની વાત સામે આવી છે.













