ગુજરાતમા કોલેજો અને યુનિવર્સિટીઓમાં મેન્ટલ હેલ્થ પોલીસી લાગુ કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગે એક નોટીફિકેશન બહાર પાડી વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો વધતાં શિક્ષણ વિભાગે દિશા નિર્દેશ જાહેર કર્યા છે.
પ્રતિ 100 વિદ્યાર્થીએ એક કાઉન્સિલરને રાખવા પડશે
ગુજરાતમાં સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા થતી આત્મહત્યાની ઘટનાઓ અંગે સરકારે નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે એક નોટિફિકેશન દ્વારા વિગતવાર ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં મેન્ટલ હેલ્થ પોલીસી લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાની સૂચના આપી છે. કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રતિ 100 વિદ્યાર્થીએ એક કાઉન્સિલરને રાખવા પડશે.













