ગુજરાતમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર આવશે. હવે રેશનકાર્ડની જગ્યા ડિજિટલ કાર્ડ લેશે. અનાજ પણ પૈસાની જેમ ATMથી મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ પ્રોજેક્ટ શરૂ કરાવશે. આગામી 15 ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે. રાશનની દુકાનોમાં થતી ગેરરીતિ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં સાબરમતિ ખાતે અનાજ ATM શરૂ કરાશે.
ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પણ અમલ શરૂ થશે
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે કહ્યું હતું કે, રાશનની દુકાનોમાં થતી ગેરરીતિ પર લગામ લાવવા પ્રયોગ કરાશે.અમદાવાદના સાબરમતી ખાતે અનાજ ATM શરૂ થશે. ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પણ અમલ શરૂ થશે.વેન્ડીંગ મશીનમાંથી ૧ કિલોના પેકિંગમાં અનાજ મળશે.ભવિષ્યમાં ચોવિસ કલાક અનાજ ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા વિકસાવાશે.













