ગુજરાત કેડરમાં 2010ની બેચના IAS અધિકારી ડો. હાર્દિક સતિષચંદ્ર શાહની PMOમાં જોઈન્ટ સેક્રેટરી લેવલે વડાપ્રધાન મોદીના અંગત સચિવ તરીકે નિમણૂક કરવામા આવી છે. આ નિમણૂક કોટરમીનસ બેઝ પર કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાનના કાર્યકાળ સુધી રહેશે.
પીએમઓમાં તેમનું સ્થાન વધુ મજબૂત થયું
IAS ડો. હાર્દિક શાહ માટે આ જવાબદારી નવી નથી. તેઓ 17 ઓગસ્ટ 2020થી આ જવાબદારી નિભાવતા આવ્યા છે. તેઓ સત્તાવાર રીતે 31 મે 2029 સુધી આ પદ પર કાર્યરત રહેશે. ફેબ્રુઆરી 2026માં જોઈન્ટ સેક્રેટરી અથવા તો તેના સમાન પદ માટે તેમની પસંદગીએ આ ઔપચારિક બઢતીનો માર્ગ મોકળો કર્યો હતો. જેના કારણે પીએમઓમાં તેમનું સ્થાન વધુ મજબૂત થયું છે. જ્યારે IAS ડો. હાર્દિક શાહે 2019થી 2020 દરમિયાન ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપી ત્યારથી તેમની પીએમઓમાં સફર શરૂ થઈ હતી. આ સમય દરમિયાન સર્વોચ્ચ સ્તરે નીતિ સંકલન અને વહિવટમાં મદદ કરતી મુખ્ય અને ઉચ્ચ ટીમનો ભાગ બન્યા છે.













