પતિએ 7 જેટલા છરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી અને પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કરતા ચકચાર મચી હતી, પતિએ ઝેરી દવા પી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. વેરાવળ તાલુકાના ડારી ગામે આજે સવારે પારિવારિક વિવાદમાં આઠ મહિનાથી પિયર રિસામણે રહેલી ૪૨ વર્ષીય પત્નીની તેના તાંતીવેલાના પતિએ છરીના ૮ ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી તેની બાઈક અને હથિયાર ફેંકીને નાસી છૂટ્યો હતો.


પરિણીતાએ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે

તાંતીવેલા ગામના પતિ-પત્ની વિનોદ સોમાભાઈ ધોળીયા અને હીનાબેન ઉર્ફે ચંપાબેન ધોળીયાના ૨૦૦૨માં લગ્ન થયેલા અને તેમના બે પુત્રો એક ૨૧ વર્ષીય અને બીજો ૧૯ વર્ષિય રાજકોટ કામ કરે છે. દંપતી વચ્ચે ઘણા સમયથી પારિવારિક કલેશ ચાલી રહ્યો હતો જેમાં વિનોદભાઈ શારીરિક માનસિક ત્રાસ અને ચારિત્ર્ય અંગે શંકા કરતો હોય તે ત્રાસથી કંટાળીને હીનાબેન આઠ માસ પહેલા ડારી પિયરે રિસામણે હતા અને સિલાઈ કામ કરતા હતા તેમણે વિનોદભાઈ સામે મહિલા પોલીસમાં અને ભરણપોષણનો કેસ પણ નોંધાવ્યો હતો.

હીનાબેનના ભાઈ દિનેશભાઈ મેઘજીભાઈ ચાંડપાએ બનેવી સામે ફરિયાદ નોંધાવી છે

આ બાબતનું મનદુ:ખ રાખી સવારે અચાનક પતિ વિનોદ ધોળીયા હીનાબેનના પિયર ખાતે પહોંચ્યા હતા. અહીં તેણે પોતાની પત્ની જે સિલાઈની દુકાને હતી ત્યાં જઈને તેમના પર ધારદાર છરી વડે ૮ જેટલા ઘા ઝીંકી હુમલો કર્યો હતો. પરિણીતાને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હીનાબેનને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડીવાયએસપી ખેંગારના જણાવ્યા મુજબ પોલીસે સઘન તપાસ અને પોલીસ ટીમો નાકાબંધી કરી વહેલી તકે આરોપી પકડાઈ જશે તેમ જણાવ્યું હતું. હીનાબેનના ભાઈ દિનેશભાઈ મેઘજીભાઈ ચાંડપાએ બનેવી સામે ફરિયાદ નોંધાવી છે.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં સ્કંદ હોસ્પિટલના બે ડોક્ટર સામે નોંધાઈ ફરિયાદ, સ્કીન ડોક્ટર હોવા છતાં ડેન્ગ્યુના દર્દીની સારવાર કરી



  • Follow us on: