સાબરકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. તાજેતરમાં નકલી દૂધના કૌભાંડ બાદ હવે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામેથી નકલી ઘી બનાવવાનું મસમોટું નેટવર્ક ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ સામે ફૂડ સેફ્ટી વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.
નકલી ઘી તૈયાર કરવામાં આવતું
મળતી માહિતી મુજબ, ફૂડ સેફ્ટી વિભાગને બાતમી મળી હતી કે રાયગઢ ગામમાં એક ફૂડ બિઝનેસ ઓપરેટરના ઘરે ગેરકાયદેસર રીતે ઘી બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ બાતમીના આધારે અધિકારીઓએ દરોડો પાડતા ત્યાંથી વનસ્પતિ ઘી, સોયાબીન તેલ અને શંકાસ્પદ વ્હાઇટ પાવડર મળી આવ્યો હતો. આરોપ છે કે આ તમામ વસ્તુઓનું મિશ્રણ કરીને નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું.













