જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ધ્રોલ નજીક ખારવા ગામ પાસે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા 'ગણેશ વિદ્યા સંકુલ'માં એક યુવા વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે શૈક્ષણિક આલમ સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
નર્સિંગના બીજા વર્ષમાં કરતી હતી અભ્યાસ
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિનીનું નામ પ્રજ્ઞા બાબુભાઈ પરમાર હતું. તે મૂળ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કાકડખીલા ગામની વતની હતી. પ્રજ્ઞા અહીં ગણેશ વિદ્યા સંકુલમાં નર્સિંગ વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સંસ્થાની જ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરી રહી હતી. જોકે, કોઈ અગમ્ય કારણોસર તેણીએ હોસ્ટેલના રૂમમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.













