જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક લૂંટનો બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરાતા પોલીસ તંત્રની કામગિરી સામે સવાલો ઉભા થયા છે.
કાર ચાલક બિરજુ કનખરાએ વીડિયો બનાવીને આરોપ લગાવ્યો
આ અંગે કાર ચાલક બિરજુ કનખરાએ વીડિયો બનાવીને આરોપ લગાવ્યો હતો કે ગત 2જી તારીખે આ લૂંટની ઘટના બની હતી. ઘટનામાં 8 થી 10 જેટલા શખ્સો રસ્તા પર ઉભા હતા, જેમને ત્રણ લોકોએ કાર અટકાવી છરી બતાવી હતી.













