ઇઝરાયેલમાં ફસાયેલા જુનાગઢના ધંધુસર ગામના 40 યુવાનો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. યૂદ્ધના સમયે પણ આ યુવાનો તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે . જો કે તેમના પરિવારોમાં ચિંતા રહે તે સ્વાભાવિક છે.


 ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ભીષણ યુદ્ધ

હાલ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને રોજ ઇરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઇલ એટેક કરવામાં આવી રહ્યા છે.

 ધંધુસર ગામના 40 યુવાનો ઇઝરાયેલમાં છે

ઇઝરાયેલમાં જૂનાગઢના ધંધુસર ગામના 40 યુવાનો કામ કરવા ગયેલા છે. આ યુવાનો કેરગીવર તરીકે નોકરી કરી રહ્યા છે

તેઓ બંકરમાં આશરો લઈ લે છે,

યુવાનોએ તેમના પરિવારને માહિતી આપી છે કે જ્યારે સાયરન વાગે છે ત્યારે તત્કાળ તેઓ બંકરમાં આશરો લઈ લે છે, જ્યાં ખાવા-પીવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને તેઓ સુરક્ષિત છે.

​રોજ સાંજે વીડિયો કોલથી થાય છે વાત

પરિવારના સભ્યોએ આ યુવાનો સાથે સતત વાતચીત ચાલુ રાખી છે, અને તેમના સુરક્ષિત હોવાની જાણકારી મેળવતા તેઓ રાહત અનુભવી રહ્યા છે. રોજ તેઓ વીડિયો કોલથી સંપર્કમાં રહે છે. 


આ પણ વાંચો----     Surat : યુદ્ધની વૈશ્વિક અસરો વચ્ચે હજીરાકાંઠો એલર્ટ, સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવાઈ

  • Follow us on: