ભવનાથમાં મેળા પહેલા સાધુઓ સંબંધિત બે હિંસક ઘટનાઓ સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
બે અજાણ્યા સાધુઓએ વૃદ્ધને માર માર્યો
પ્રથમ ઘટનામાં બે અજાણ્યા સાધુઓએ વૃદ્ધને માર માર્યો હતો. અન્નક્ષેત્રની સાફ-સફાઈ અને રસ્તા માટેનો વિવાદ થયા બાદ મારામારી થઇ હતી જેમાં ફરિયાદીને ગાળો આપી પથ્થરો વડે ઈજા પહોંચાડાઇ હતી













