જૂનાગઢમાં 11 ફેબ્રુઆરીથી ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મેળાની તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે.


20 વિવિધ સમિતિઓની કામગીરીનું નિરીક્ષણ

કુલ 20 વિવિધ સમિતિઓની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પીવાનું પાણી અને આરોગ્ય સુવિધા યોગ્ય રીતે ઉપલબ્ધ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ટ્રાફિક નિયમન અને સફાઈ વ્યવસ્થા માટે કડક સૂચના

ટ્રાફિક નિયમન અને સફાઈ વ્યવસ્થા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. રવેડી રૂટ અને મૃગીકુંડ શાહી સ્નાન માટે અલગ વ્યવસ્થા ગોઠવાઈ છે, જેથી ભક્તો સરળતાથી દર્શન કરી શકે.

રોશનીથી ભવનાથ તળેટી ઝળહળશે

મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને રોશનીથી ભવનાથ તળેટી ઝળહળશે. જિલ્લા અને વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચો----    Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા

  • Follow us on: