જૂનાગઢના મહાશિવરાત્રીના વર્ષ ૨૦૨૬ના મેળાના વિશેષ આયોજનને લઈને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ વર્ષે મેળામાં વિવિધ સુવિધાઓ ઉભી કરવાની તૈયારી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ આગામી 11 ફેબ્રુઆરીથી થશે અને 15 મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે રાત્રીના સાધુ-સંતોના મુર્ગી કુંડમાં શાહી સ્નાન સાથે સંપન્ન થશે.


મેળાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ

ગુજરાત પવિત્ર યાત્રા ધામ બોર્ડના સહયોગથી મેળામાં વિવિધ સુશોભન અને ભાવિકો લક્ષી સુવિધાઓ ને પ્રાથમિક સવલતોની પણ ચર્ચા કરવામાં આવી હતી. સાંસ્કૃતિક ધરોહરો અને લોક પરંપરાઓમાં લોક સુવિધા વધારવાનો સરકારનો ઉપક્રમ રહ્યો છે.જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર મહાનગરપાલિકા અને અન્ય સંસ્થાઓના સંકલનથી મેળાનો સ્કેલ એટલે કે વ્યાપ વધારવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રી મેળાની ગરીમા વધે અને લોકોની સુવિધાનો વિસ્તાર વધે તેમજ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો મેળાની વિવિધ પ્રવૃત્તિઓ અને સ્ટોલ નિહાળી શકે તે માટે ગિરનાર દરવાજાથી ભરડાવાવથી જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ગ્રાઉન્ડ સુધી મેળાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.

ધરોહર સમાન ધાર્મિક કાર્યક્રમો લોકો શ્રદ્ધાથી નિહાળે છે

મેળામાં યાત્રિકો માટે પીવાનું શુદ્ધ પાણી, હંગામી શેલ્ટર હાઉસ, વધારે જરૂરિયાત મુજબ મોબાઈલ ટોયલેટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અને વહીવટી તંત્રના કાર્યક્રમો અને જુદી જુદી સુવિધાઓનું સંકલન સહિતના મુદ્દે આયોજન કરવા માટે વિવિધ અધિકારીઓને ફિલ્ડ વિઝીટ સાથે અહેવાલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું કે મેળાના છેલ્લા દિવસે રવેડી અને સાંસ્કૃતિક ધરોહર સમાન ધાર્મિક કાર્યક્રમો લોકો શ્રદ્ધાથી નિહાળે છે દર્શન કરે છે પરંતુ મેળાના આગલા દિવસો દરમિયાન ખાસ કરીને જુનાગઢ શહેરમાંથી ભવનાથ વિસ્તારમાં પ્રવેશ થાય ત્યારે જ લોકો ને મેળાની ગરિમા ,પરંપરા, હસ્તકલા, અને સદાવ્રત સહિતની કલ્યાણકારી પ્રવૃત્તિઓનો લાભ મળે તે માટે મેળાના આયોજનને વિસ્તારની દ્રષ્ટિએ વિસ્તારની શક્યતાઓને તપાસીને એ રીતે આયોજન કરવાનો જિલ્લાની ટીમનો ઉપક્રમ છે.


આ પણ વાંચોઃ Dwarka: સુદર્શન સેતુ પર કારના બોનેટ પર બેસી રીલ બનાવવી પડી ભારે, બનાસકાંઠાનો યુવક જેલભેગો


  • Follow us on: