જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા ને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે જેને લઈને આજે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા અને અધિકારીઓ સાથે સાધુ સંતોની એક બેઠક યોજાઇ હતી, જેમાં મેળામાં કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરાઈ હતી....
11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મીની કુંભ મેળો
આગામી તારીખ 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મીની કુંભ મેળો યોજાઇ રહ્યો છે ત્યારે વિવિધ સમિતિઓની કામગીરી અંગે આજે ક્લેક્ટર અનિલ રાણાવસીયા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ભવનાથ મંદિરમાં સાધુ સાથે મેળાના આયોજન અને વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.ભરડાવાવ પાસે વિવિધ પાર્કિંગ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને ભરડા વાવથી વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે જેથી લોકોને માત્ર ચાલતા પ્રવેશ કરવાનો રહેશે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો..













