ગુજરાતમાં 11 મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી મુખ્ય વાઈબ્રન્ટ સમિટ પૂર્વે, કચ્છના ગાંધીધામ ખાતે 'રિજનલ વાઈબ્રન્ટ સમિટ'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક જ દિવસીય ઇવેન્ટમાં કચ્છના વિકાસને નવી ગતિ આપવા માટે અંદાજે ₹8,700 કરોડના MOU કરવામાં આવ્યા હતા.
અર્જુન મોઢવાડિયાના હસ્તે કરાયો પ્રારંભ
ઉદ્યોગ જગત માટે નવો સૂર્યોદય ગણવાતા મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો રાજ્યના ઔદ્યોગિક નકશા પર અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સ્ટીલ, સિમેન્ટ, કેમિકલ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં કચ્છ પહેલેથી જ અગ્રેસર છે. કંડલા ખાતે આકાર લઈ રહેલા મેગા કન્ટેનર ટર્મિનલ અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ્સને કારણે આગામી પાંચથી સાત વર્ષમાં અહીં જંગી રોકાણો આવવાની પ્રબળ શક્યતાઓ છે.













