Kutch News: કચ્છ જિલ્લામાં બે બાળકોના મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. કચ્છમાં તળાવમાં ડૂબી જવાના કારણે 2 બાળકોના મોત થવાના કારણે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બાળકો ગઈકાલ બપોરથી ગુમ હતા. જે કારણે પરિવારના સભ્યો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા.


ગત રોજ બપોરના સમયથી ગુમ હતા બાળકો

ઘટનાની મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લામાં આવેલા વાંઢીયા ગામની સીમ તળાવમાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ બાળકો ગત રોજ બપોરના સમયથી ગુમ હતા. જે કારણે તેમના પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તેમણે તળાવમાં તપાસ કરી તો ત્યાં આ બે બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. મૃતક બાળકોમાં 14 વર્ષીય કમલેશ કોળી અને 13 વર્ષીય દલસુખ કોળીનો સમાવેશ થાય છે.

સ્નાન કરવા ગયા અને ડૂબી ગયા

જે બાદ આ સમગ્ર ઘટનાની જાણ ભચાઉ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ભચાઉ ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બાળકો તળાવમાં સ્નાન કરવા અર્થે ગયા હતા. ભચાઉ ફાયર ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ મૃતદેહો શોધીને તેમના પરિવારને સોંપ્યા હતા. એક જ ગામમાં બે બાળકોના મોત થતા ગામનો માહોલ ગમગીન બન્યો હતો.

આ પણ વાંચો - ચૂંટણી પ્રક્રિયામાં BLOની ભૂમિકા નિર્ણાયક, જાણો શું કામ કરે છે Booth Level Officer?

  • Follow us on: