મોરબી અને હળવદમાં વ્યાજખોરીના ગંભીર મામલે 7 વ્યક્તિઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીઓએ જણાવ્યું છે કે આ વ્યાજખોરોએ કોરા ચેક પર સહી કરાવી અને પછી પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી.


વ્યાજખોરોએ ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી

ફરિયાદ અનુસાર કાળુભાઇ ગમારાને ધંધામાં ખોટ ગઇ હતી જેથી તેમણે 15.30 લાખ તેઓએ ઊંચા વ્યાજ સાથે નાણાં લીધાં હતા. પરંતુ પછી વ્યાજખોરોએ ધમકી આપી, પઠાણી ઉઘરાણી કરી હતી.

કાળુભાઇએ 5 વ્યાજખોરો સામે પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી

કાળુભાઇએ 5 વ્યાજખોરો સામે પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ઉપેન્દ્રસિંહ ઝાલા,જયરાજ ઉર્ફે રાજેશ પઢીયાર,ધરમભારથી,પ્રતિક ગોસ્વામી અને જગદીશ બાવાજી સામે ફરીયાદ નોંધી તપાસ શરુ કરી છે.

મોરબી તાલુકા પોલીસમાં 2 અને હળવદ તાલુકા મથકમાં 5 ફરિયાદ

વ્યાજખોરોએ તરખાટ મચાવ્યો છે અને લોકોને વ્યાજે પૈસા આપીને તેમની પાસેથી બળજબરી વધુ પૈસા વસુલ કરી રહ્યા છે. આ મામલે મોરબી તાલુકા પોલીસમાં 2 અને હળવદ તાલુકા મથકમાં 5 મળીને કુલ 7 ફરિયાદ નોંધાઇ છે.


આ પણ વાંચો---   Gujarat Latest News Live : ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખનું વાદળ આજે રાત્રે ગુજરાતમાં પ્રવેશ કરશે, આકાશ વધુ ધુમ્મસવાળું જોવા મળશે

  • Follow us on: