મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયુ છે. આદિવાસી સમાજ રોજી રોટી મેળવતા આવતા હોય છે. આદિવાસી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓની રજૂઆત કરી છે.


ભાગીયા તરીકે કામ કરતા કામદારોને સરકાર તરફથી વળતર આપવામાં આવે

મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં આજે આદિવાસી સમાજ દ્વારા કમોસમી વરસાદના કારણે પાક નુકસાની થઈ હોય તો ભાગીયા તરીકે કામ કરતા કામદારોને સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી માગ આદિવાસી સમાજ દ્વારા કરાઇ છે.

જંતુનાશક દવાઓ બિયારણો ખાતરોના ભાવમાં ઘટાડો કરવામાં આવે

ઉપરાંત મોરબી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાનું સ્ટેચ્યુ જાહેર માર્ગ પર મૂકવામાં આવે,, તૈયાર થયેલા પાકનો પોષણક્ષમ ભાવ આપવામાં આવે, જંતુનાશક દવાઓ બિયારણો ખાતરોના ભાવમાં ઘટાડો કરવામાં આવે, આદિવાસી કામદારોના બાળકોના ભવિષ્ય માટે એકલવ્ય સ્કૂલ અને હોસ્ટેલ ખોલવામાં આવે તથા બહારથી આવતા કામદારોનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવી લેબર એક્ટ મુજબ માલિકો અને કામદારોને લેખિત કરાર ફરજિયાત કરવામાં આવે તેવી માગ પણ કરાઇ છે.

ખેતીમાં અને કારખાનાઓમાં સેફ્ટીના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે

આ સાથે ખેતીમાં અને કારખાનાઓમાં સેફ્ટીના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે અને બેદરકારીના કારણે મોત થતાં અપરાધમાં માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે, કામકાજનો સમય 8 કલાકનો કરવામાં આવે જેવી વિવિધ માગણીઓ સાથે આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉપસ્થિત રહી અને આવેદનપત્ર આપી કલેકટરને રજૂઆત કરી હતી.


આ પણ વાંચો-----    Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા

  • Follow us on: