વર્ષ 2022માં નોંધાયેલા એક ગંભીર ગુનાના મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના 22 આગેવાનોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હોય તેમ જણાય છે. આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ધારદાર રજૂઆત માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નયન સુખડવાલાની નિમણૂક કરવામાં આવી છે.


22 લોકો સામે વર્ષ ૨૦૨૨માં નોંધાયો હતો ગુનો

વર્ષ 2022માં ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને ખેરગામના સરપંચ ઝરણાં પટેલ સહિત કુલ 22 વ્યક્તિઓ વિરુદ્ધ લૂંટ અને એટેમ્પ્ટ ટુ કમિટ મર્ડર (હત્યાનો પ્રયાસ) જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે હાલ નવસારી કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા તેજ બની છે.

બિન તહોમત છોડવાની અરજી સામે દલીલ

તાજેતરમાં અનંત પટેલ અને અન્ય આરોપીઓએ નવસારી કોર્ટમાં પોતાને આ ગુનામાંથી 'બિન તહોમત' છોડવા માટે અરજી કરી હતી. જોકે, સરકાર પક્ષે નિયુક્ત સ્પેશિયલ પી.પી. નયન સુખડવાલાએ આ અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે, ફરિયાદમાં તમામ આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે અને તેમની સામે પૂરતા પુરાવાઓ હોવાથી તેમને છોડી શકાય નહીં.

 વધુ સુનાવણી 9મી એપ્રિલ પર મુલતવી

કોર્ટે બંને પક્ષોની પ્રાથમિક દલીલો સાંભળ્યા બાદ આ મામલે વધુ સુનાવણી 9મી એપ્રિલ પર મુલતવી રાખી છે. આગામી સુનાવણીમાં કોર્ટ નક્કી કરશે કે આરોપીઓ સામેના આરોપો ઘડવામાં આવશે કે કેમ. આ હાઈ-પ્રોફાઈલ કેસ પર સમગ્ર દક્ષિણ ગુજરાતની નજર ટકેલી છે.



આ પણ વાંચો----   Ahmedabad : નકલી નોટ કૌભાંડ, યોગ ફાઉન્ડેશનની આડમાં ચાલતું હતું પ્રદિપના પાપનું સામ્રાજ્ય


  • Follow us on: