નવસારી નવા બ્રિજ નિર્માણ વચ્ચે આવતી પારસી સમાજની સ્મશાન ભૂમિને કારણે કાર્યમાં અવરોધ ઉભો થયો છે.સુરત નવસારી શહેર ને જોડતા મહત્વના પૂર્ણાં નદી ઉપર નવા બ્રિજના કામ માં અવરોધ થતા મામલો ગૂંચવાયો છે.
પારસી સમાજની સ્માશન ભૂમિ નો કેટલોક ભાગ સંપાદન કરવાની જરૂર
વિરાવળ ગામ પાસે પૂર્ણાં નદી ઉપરનો બ્રિજ ક્રિટિકલ પુઅર કેટેગરીમાં આવતા નવા બ્રિજ ની જરૂર ઊભી થઈ હતી.જેને લઈ માર્ગમકાન વિભાગ દ્વારા બનવવામાં આવેલ નવીન બ્રિજની ડિઝાઇનમાં પારસી સમાજની સ્માશન ભૂમિ નો કેટલોક ભાગ સંપાદન કરવાની જરૂર પડી છે.













