પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે ગેરકાયદેસર ખનન કરનારા ખનીજ માફિયાઓ સામે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ મામલે ખનનનો મુદ્દામાલ રાજ્યસાત કરવાનો આદેશ કર્યો છે, જેના પગલે ખનીજ ચોરી કરતી ગેંગમાં ફફડાટ વ્યાપી ગયો છે.


 ઘટનાની વિગત

ભૂસ્તરશાસ્ત્રીની ટીમે 9 જાન્યુઆરી, 2025ના રોજ દરોડો પાડ્યો હતો. દરોડામાં હ્યુન્ડાઈ એક્સકેવેટર મશીન અને 19 ડમ્પરો જપ્ત થયા. આ ગેરકાયદેસર ખનન બદલ 4.45 કરોડનો દંડ ફટકારાયો હતો.

કોર્ટનો આદેશ

જપ્ત કરાયેલા મશીનો અને ઉપકરણો રાજ્યસાત કરવા કોર્ટે હુકમ આપ્યો. અરજદારની અરજી નામંજૂર કરી, કોર્ટે જાહેર કર્યું કે ગેરકાયદેસર ખનન પર્યાવરણ માટે નુકસાનકારક છે અને નદીમાં રહેતા જીવજંતુઓ માટે જોખમી છે. ખનનના ખાડામાં પાણી ભરાવાથી લોકો ડૂબી જવા જેવા અકસ્માતો પણ બનેલા છે. કેસમાં મુખ્ય માલિક નાનજી ખીમજીભાઈ વણઝારાને આરોપી તરીકે ઉમેરવાનો આદેશ આપ્યો. કોર્ટે IPC કલમ 379 (ચોરી) ઉમેરવાનો હુકમ આપ્યો.

આ પણ વાંચો---  Banaskantha News : દિયોદરના રૈયા ગામમાં ચોર ટોળકીનો તરખાટ એક જ રાતમાં 5 ધાર્મિક મંદિરો નિશાન બનતા ફફડાટ

  • Follow us on: