પાટણ શહેરના લીમડીચોક અને કસુંબીવાડા વિસ્તારમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓને લઈ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગેરકાયદે કતલખાનાઓથી વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો.


કતલખાનાઓના કચરાના કારણે આસપાસનું વાતાવરણ અસ્વચ્છ

આ મામલે સ્થાનિક લોકોએ પાટણ કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવા માગણી કરી હતી. નાગરિકોએ જણાવ્યું હતું કે કતલખાનાઓના કચરાના કારણે આસપાસનું વાતાવરણ અસ્વચ્છ બની રહ્યું છે, જેનાથી રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે.

 ગેરકાયદે કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવાની માંગ

સ્થાનિકોએ આ મુદ્દે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન રજૂઆત કરી હતી અને ગેરકાયદે કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી હતી. નાગરિકોએ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ગેરકાયદેસર કતલખાનાઓ બંધ ના થતા આખરે સ્થાનિકોએ પાટણ કલેકટરને આવેદન પત્ર આપ્યું

સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમા 8 ઓક્ટોબર ના રોજ એક સપ્તાહમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા સુનાવણી કરવામાં આવી હતી. જો કે ગેરકાયદેસર કતલખાનાઓ બંધ ના થતા આખરે સ્થાનિકોએ પાટણ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. લોહી અને હાડકાના કચરાને કારણે ગંદકી અને રોગચાળો ફેલાવવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. રહેણાંક તેમજ ધાર્મિક સ્થળો હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી સહન કરવી પડે છે.


આ પણ વાંચો---    Gujarat Flashback 2025 : આ વર્ષે વિદેશની ઘેલછામાં ગુજરાતના પરિવારો એજન્ટોની માયાજાળમાં ફસાયા હતા, ટ્રમ્પે 78 ગુજરાતીઓને પરત મોકલ્યા હતા


  • Follow us on: