રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને ડિમોલિશન અટકાવવા રહેવાસીઓ હાઇકોર્ટ સુધી પહોંચ્યા છે. આજે આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે ડિમોલેશન પર ત્રણ મહિના સુધી સ્ટે આપ્યો છે. જેથી હવે આવતીકાલે ડિમોલિશન નહીં થાય. અરજદારોએ 15 દિવસમાં GRTમાં અપીલ કરવાની રહેશે.
ગુજરાત હાઈકોર્ટે 3 મહિનાનો સ્ટે આપ્યો
રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે ડિમોલિશન થવાનું હતું. જેને રોકવા માટે સ્થાનિક લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આજે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારોની રજૂઆત હતી કે, લોકો અહીં વર્ષોથી રહે છે જેથી આ ડિમોલિશન અટકાવવામાં આવે. અરજી પર સુનાવણીમાં હાઈકોર્ટે વરગાળાનો ત્રણ મહિનાનો સ્ટે આપ્યો હતો. જેથી હવે આવતીકાલે જંગલેશ્વરમાં ડિમોલિશન નહીં થાય. અરજદારોએ આગામી 15 દિવસમાં GRTમાં અપીલ કરવી પડશે.













