વડોદરા શહેરમાં ચારેક મહિના અગાઉ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સ્થિત દશામાંના મંદિર પાસેના ઝૂંપડા પર મહાનગર પાલિકાએ બુલડોઝર ફેરવી નાંખ્યું હતું. જેના કારણે 300 જેટલા લોકો ઘર વિહોણા થયા હતાં.સરકારી આવાસ યોજના હેઠળ ઘર નહીં મળતા ગોરવા વિસ્તારના લોકો આજે એફોર્ડેબલ હાઉસિંગની કચેરીએ પહોંચ્યા હતાં અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ પૂંઠાના ઘર બનાવી ધરણાં કર્યા હતાં અને પોતાનું મકાન ઝડપથી મળે તેવી માગ કરી હતી.


મકાન નહીં મળે તો હવે ઉગ્ર આંદોલન થશે

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ ગરીબ માણસોએ મકાન માટે પાંચ હજાર રૂપિયાની ડિપોઝિટ પણ ભરી છે. વડોદરા શહેરમાં અનેક સરકારી આવાસો ખાલી પડ્યાં છે. તે છતાંય મકાનના લાભાર્થીઓને તેમના મકાનનો હક્ક આપવામાં આવતો નથી. આજે મકાનના દસ્તાવેજ અને પૈસા ભરેલી પહોંચ સાથે લોકો કચેરીએ પહોંચ્યા હતાં અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન લોકોએ ચીમકી આપી હતી કે, જો તેમને મકાન નહીં મળે તો હવે ઉગ્ર આંદોલન થશે.

હાઉસિંગ બોર્ડે માલિકોના પ્લોટ ખાલી કરાવ્યા હતા

વડોદરા હાઉસિંગ બોર્ડના મુખ્ય અધિકારી વસંત સિંઘલે કહ્યું હતું કે, હાઉસિંગ બોર્ડે માલિકોના પ્લોટ ખાલી કરાવ્યા હતા. ત્યાંથી 300 જેટલા લોકોને હટાવવામાં આવ્યા હતાં.રહેમરાહે મકાન આપવા બોર્ડે તૈયારી બતાવી હતી.300 જેટલા ફોર્મ ડિસ્ટ્રીબયુટ કરાયા હતાં.હાઉસિંગના ખાલી પડેલા મકાન આપવામાં આવશે.અત્યાર સુધી 185 લોકોના ફોર્મ ભરાયા છે. બાકીના ફોર્મ આવતા ડ્રો કરવામાં આવશે.ફોર્મ ભરનારને લેખિતમાં મકાન ફાળવી માહિતી આપીશું.


આ પણ વાંચોઃ Surat : ચોરીના આઠ વાહનો સાથે 2 આરોપીઓની ધરપકડ, બંને વાહનોની ચોરી કરીને અન્ય રાજ્યોમાં વેચી દેતા હતા


  • Follow us on: