રાજકોટમાં પરિણીતાની થયેલી હત્યા બાદ આખા શહેરમાં ચકચાર મચી હતી. હવે આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મહિલાની હત્યા કોઈ અજાણ્યા શખ્સે નહીં, પરંતુ તેના જ પતિએ જ કરેલી હતી.
છેલ્લા દોઢ વર્ષથી અવારનવાર પતિ ઉપર શંકા કરતી
પોલીસના જણાવ્યા મુજબ પત્ની છેલ્લા દોઢ વર્ષથી અવારનવાર પતિ ઉપર શંકા કરતી અને રોજ ઝઘડો કરતી હતી. સતત ચાલતી માથાકૂટથી કંટાળીને અંતે પતિએ ક્રોધવશ આવીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો સ્વીકાર કર્યો છે.













