રાજકોટમાં આરોગ્ય વિભાગે અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો છે અને 8 કિલો વાસી વસ્તુઓનો નાશ કર્યો છે, વેપારીઓ દ્વારા વાસી વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતુ તેના આધારે આ કામગીરી કરવામાં આવી છે, 15 સ્થળેથી નમૂના લઈ તેની તપાસ કરવામાં આવી છે, સમગ્ર ચેકિંગ દરમિયાન વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.


7 ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવી

રાજકોટ આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે જેમાં વાસી અને અખાદ્ય વસ્તુઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો છે, ફૂડ શાખા દ્વારા સર્વેલન્સ અને ચેકિંગ કરી 7 કિલો વાસી મંચુરિયન, ગ્રેવી, પંજાબી સબ્જીનો નાશ કરવામાં આવ્યો છે, 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી છે અને 7 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવવામાં આવી છે, 15 સ્થળે ખાદ્ય પદાર્થના નમૂનાની ચકાસણી કરાઈ છે.

રાજકોટમાં મિનરલ વોટર જગ વેચનારા સામે કાર્યવાહી થશે

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો વધતાં આરોગ્ય તંત્ર દોડતુ થઈ ગયું છે. ત્યારે રાજકોટમાં પણ હવે ટાઈફોઈડના કેસો સામે આવ્યા છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. શહેરમાં મિનરલ વોટર જગ વેચનારા સામે કાર્યવાહી થશે. ગેરકાયદે પાણીનો જગ વેચતા વેપારીઓ દંડાશે. છેલ્લા ચાર દિવસમાં વધુ એક ટાઈફોઈડનો કેસ સામે આવ્યો છે.


આ પણ વાંચો : Ahmedabad News : AMCએ સહાયક ફાયર સ્ટેશન ઓફિસર માટેની પરીક્ષા રદ કરી, સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતા થયો હતો હોબાળો



  • Follow us on: