સુરત ખાતે DGVCLના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓના અનુસંધાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું


અમરોલી અને પાલનપોર વિસ્તારમાં કામ કરતાં કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા

અમરોલી અને પાલનપોર વિસ્તારમાં કામ કરતાં કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. કર્મચારીઓના દાવા અનુસાર, DGVCL મેનેજમેન્ટ દ્વારા લાઇન પર કામ કરનારા કર્મચારીઓના અકસ્માત બાદ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.

24 કલાકના અંદર બે મોટી દુર્ઘટનાઓ બની હતી

24 કલાકના અંદર બે મોટી દુર્ઘટનાઓ બની હતી, જેના કારણે કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને કર્મચારીઓની સુરક્ષા મામલે કાર્યવાહી કરવાની માગ કરાઇ હતી.

ઓછો સ્ટાફ, નિયમ વિરુદ્ધનું કામ કરાવવાને લઈને વિરોધ

કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે ઓછા સ્ટાફ અને ઓછા સંસાધનો સાથે કર્મચારીઓ પાસે નિયમ વિરુદ્ધના કાર્ય કરવામાં આવી રહ્યું છે.

કર્મચારીઓ વેસુ સ્થિત DGVCLની ઓફિસમાં એકત્ર

આજે રાંદેર અને અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓ વેસુ સ્થિત DGVCLની ઓફિસમાં એકત્ર થયા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો..


આ પણ વાંચો----    Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે

  • Follow us on: