સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જે કારણે શહેરમાં અકસ્માતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ઘણીવાર બેદરકારીના કારણે પણ અકસ્માત સર્જાય છે. બસ ચાલકની આવી જ એક બેદરકારીના કારણે સુરતમાં અકસ્માત સર્જાયો હતો. જે કારણે લોકોમાં બસ ચાલક વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. આ અકસ્માતમાં બે બાળકો અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે.
બસ ચાલક સામે લોકોમાં રોષ
ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત શહેરમાં મહારાષ્ટ્રની એસટી બસ દ્વારા એક મહિલા સ્કૂટર ચાલકને અડફેટે લેવામાં આવી છે. આ ટક્કર બાદ બે બાળકો સહિત માતા સ્કૂટર પરથી પટકાયા હતા. સદનસીબે અકસ્માતમાં બાળકો અને માતાનો બચાવ થયો છે. આ અકસ્માત દિલ્હીગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં સર્જાયો હતો. ટક્કર બાદ હાજર લોકોએ અકસ્માતનો ભોગ બનનાર લોકોની મદદ કરી હતી. આ સાથે બસ ચાલક સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.













